બાંગ્લાદેશની બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આ આગની ઝપેટમાં 25 લોકોનાં મોત નિપજયાં છે જ્યારે અન્ય 70 લોકોને ઇજા પહોંચી છે. આ આગ ઢાકાના બનાની વિસ્તારમાં આવેલા એફઆર ટાવરના 22માં માળે ગુરૂવારના રોજ લાગી હતી.
એક મળતાં અહેવાલ મુજબ એફઆર ટાવરના 6ઠ્ઠા માળે આગ લાગી હતી અને થોડા જ સમયમાં આગ બીજા અનેક માળ સુધી ફેલાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડની 21 ગાડીઓ ઘટના સ્થળે પહોચીં હતી. અંદાજે 4 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે ત્યારબાદ બિલ્ડિંગમાંથી 13 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા.
બિલ્ડિંગમાં ધુમાડેને જોઇ કેટલાંક લોકોએ કુદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ ન બન્યું. બિલ્ડિંગમાંથી કુદીને જીવ બચાવવાનો પ્રયત્ન કરનાર લોકોમાંથી કેટલાંકના મોત નિપજ્યાં છે. બિલ્ડિંગમાંથી કુદીને મૃત પામનાર લોકોમાં શ્રીલંકાના નાગિરકોનો પણ સમાવેશ થાય છે.
જ્યારે કેટલાંક લોકોએ આગ લાગ્યા બાદ ટોપ ફલોર જઇ બાજુની બીજી બિલ્ડિંગની છત પર કુદકો લગાવી પોતાનો જીવ બચાવ્યો. બાંગ્લાદેશ સરકારે આ આગની ઘટનાની તપાસ માટે 4 કમિટિનું ગઠન કર્યું છે. જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.