ન્યુયોર્કઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાને વિશ્વમાં હાહાકાર મચાવ્યાને એક વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશના એક વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપી છે. કે આ વર્ષે કોરોના વાયરસ નષ્ટ નહીં થાય. જોકે, રસકરણ અભિયાનના કારણે કોરોના વાયરસ નિયંત્રણમાં આવી જશે.
WHOએ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. માઈકલ રેયાનાએ કહ્યું દુનિયાભરના દેશોએ હજું કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મીડિયા બ્રિફિંગમાં તેમણે કહ્યું કે જો આપણ હોંશિયાર છીએ તો દર વર્ષના અંત સુધી કોરોનાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, મોત અને મહામારી સાથે જોડાયેલા ત્રાસને ખતમ કરી શકીએ છીએ. ડો. રેયાને કહ્યુ કે WHO અનેક લાઈસન્સ પ્રાપ્ત રસીના ડેટાના આધારે આ કહી રહ્યુ છે કે રસીથી વાયરસના વિસ્ફોટને ફેલાતા રોકવામાં મદદ મળશે.
ડો. રેયાને કહ્યું કે જો રસી ન ફક્ત મોત પર અને ન ફક્ત હોસ્પિટલમાં દાખલ થનારા દર્દી, બલ્કે ટ્રાન્સમિશન ડાયનેમિક્સ અને સંક્રમણના જોખમો પર અસર કરવાનું શરુ કરે છે. તો મારુ માનવું છે કે અમે આ મહામારીને નિયંત્રિત કરવાની દિશામાં તેજી લાવી શકીએ છીએ.
પરંતુ તેમણે રસીને લઈને ભારે ઉત્સાહને લઈને ચેતવ્યા છે. ડો. રેયાને કહ્યું આવી મહામારીની કોઈ ગેરન્ટી નથી. જો કે ઘણા હદ સુધી વાયરસ નિયંત્રણમાં છે. આ દરમિયાન WHOના મહાનિર્દેશકે કહ્યું કે અફસોજનક છે કે કેટલાક અમીર દેશોમાં યુવા અને સ્વસ્થ્ય વયસ્કોને વિકાસશીલ દેશોમાં જોખમવાળા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની પહેલા કોરોના વાયરસની વિરુદ્ધ રસીકરણ કરાઈ રહ્યુ છે.
એક સમાચાર એજન્સીના જણાવ્યાનુંસાર WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રોયાસસે કહ્યું કે યૂએન તરફથી પુરી પડાઈ કોવાક્સ રસી ઘાના અને આઈવરી કોસ્ટમાં આ અઠવાડિયાથી લાગવાની શરુ થઈ ગઈ છે. પરંતુ તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે બ્રિટન, અમેરિકા અને કેનેડા જેના દેશોમાં આ ફક્ત 3 મહિનામાં શરુ થઈ ગયું જ્યાં રસી આપવાનું શરુ થઈ ગયું.
દુનિયાના દેશો કોઈ રેસમાં નથી પરંતુ આ વાયરસની વિરુદ્ધ લડાઈ છે. અમે કોઈ દેશને તેમના લોકોને જોખમમાં નાંખવાનું નથી કહી રહ્યા પણ વાયરસને ખતમ કરવા વૈશ્વિક પ્રયાસનો ભાગ બનવાનું કહી રહ્યા છીએ.