નવી દિલ્હી : કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સર્વિસ પર પ્રતિબંધ 31 જુલાઇ સુધી વધારવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 3 જુલાઈ, શુક્રવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે, આની સાથે ડીજીસીએએ આગામી દિવસોમાં પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ પર એરલાઇન્સ શરૂ કરવાના સંકેત પણ આપ્યા છે.
જાહેરનામામાં લખ્યું છે, “વ્યક્તિગત કેસોના આધારે પસંદગીના હવાઇમાર્ગ પર કેટલીક ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે.” આ અગાઉ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સને 15 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
Ban on international commercial passenger flights to and from India extended till July 31, 2020. pic.twitter.com/6nltrHkG7d
— ANI (@ANI) July 3, 2020