વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે એક કરોડ તરફ વધી રહી છે. ચાર લાખથઈ વધુ લોકો આ મહામારીનો ભોગ બની ગયા છે. દુનિયાભરના વિજ્ઞાની અને મેડિકલ એક્સપર્ટ્સ ઓ ઘાતક મહામારીને નાથવા માટે અસરકારક રસી શોધવામાં લાગ્યા છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગ્ઠન (WHO)એ ટુંકમાં જ કોવિડ-19 માટેની રસી શોધાઇ જવાની આશા વ્યક્ત કરી છે. ઘણી રસીની ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ગઇ છે. તેની સાથે WHOએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસ માટેની વેક્સીનના હજારો ડોઝ ઉપલબ્ધ થઇ જશે
વિશ્વભરમાં અત્યાર સુધી 82.4 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે અને 4.46 લાખ લોકો તેને કારણે મૃત્યુ પામ્યા છે. ભારતમાં 3.81 લાખ દર્દીઓ છે. જેમાંથી 1.68 એક્ટિવ કેસ છે અને 2.13 લાખ લોકો સાજા પણ થયા છે. 12900 લોકોનાં માતે થઇ ગયા છે.