એ સાચું નથી જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વીર્યનું નિર્માણ જાતિય ગ્રંથિઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી. જો વીર્ય જાતીય સહવાસ વગર બહાર નીકળી જાય તો શું વ્યક્તિ ખૂબ જ શક્તિહીન બની જાય? એ સાચું નથી. વીર્યનું નીકળવું જાતીય ઉત્તેજના પર નિર્ભર કરે છે. તેની સાથે શારીરિક દુર્બળતાને કંઈ જ લેવાદેવા નથી. હકીકતમાં આ કોઈ રોગ નથી. પરંતુ એક પ્રકારની ભ્રમણા છે. કેટલાક ખાદ્ય પદાર્થોમાં ‘ઓક્સલેટ’ જેવા તત્વો વધુ પ્રમાણમાં હોય છે. આ ધાતુઓના કણ જ્યારે મૂત્રમાંથી નીકળે છે તો કેટલાક લોકો તેને ‘ધાતુ રોગ’ કહે છે. સહવાસ દરમિયાન ચરમ આનંદ પ્રાપ્તિની ક્ષણને વૈજ્ઞાાનિક ભાષામાં ‘ઓરગેઝમ’ કહે છે. જો આ પહેલાં જ વીર્ય સ્ખલન થઈ જાય તો તેને ‘શીધ્રપતન’ કહેવામાં આવે છે. પરંતુ તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી. તેના ઘણાં કારણો છે, જેમ કે ઉતાવળમાં જાતીય સંબંધો બાંધવા, સંભોગ દરમિયાન ગભરાટ વગેરે પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે.
જાતીય સંબંધની ઓછી ઈચ્છાને વૈજ્ઞાાનિક ભાષામાં ‘લોસ ઓફ લિબિડો’ કહેવામાં આવે છે. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે પતિ-પત્નીના સંબંધો સારાં ન હોવા, ચિંતા, માનસિક તાણ, કેટલીક બીમારીઓ (ડાયાબિટીસ, થાઈરોઈડ હોર્મોન્સની વ્યવસ્થા વગેરે) કેટલીક દવાઓનું સેવન વગેરે. એવું વિચારવું એ યોગ્ય નથી. તેના કારણો પર ધ્યાન આપી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના ખાસ કારણો છે, એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન જેવી દવાઓનું વધુ પડતું સેવન, ધૂમ્રપાન, મદ્યપાન, (દારૂનું સેવન), ડાયાબિટીસ, પિટ્યૂટરી ગ્રંથિના રોગ, ટેસ્ટોસ્ટેરોનની અછત, થાઈરોઈડ રોગ, અવ્યવસ્થિત દિનચર્યા, વધુ વ્યસ્ત જીવન,તાણ અને શારીરીક થાક વગેરે. આ એક ખોટી માન્યતા છે એ પણ સાચું નથી કે વધુ વીર્યનું બહાર આવવું કરોડરજ્જુને પાતળી કે નબળી બનાવે છે. એવું કંઈ જ નથી આ પણ યૌન ક્રીડાનું એક માધ્યમ છે. તેની સાથે કોઈ પણ પ્રકારની નબળાઈને કોઈ જ સંબંધ નથી. એવું વિચારવું પણ ખોટું છે કે હસ્તમૈથુન કરવું એ નૈતિક ગુનો છે.
એવું વિચારવું ખોટું છે. આ દિવસોમાં સહવાસને ટાળવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન સંભોગ કરવાથી પતિ-પત્ની બંનેને ઈન્ફેક્શન લાગવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત એ દિવસોમાં સહવાસ કરવાથી નીકળનાર લોહીનું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત આવું કરવાથી યોનિના કોમળ સ્નાયુઓ પર પણ ખૂબ જ ઈજા થાય છે. આ એક ભ્રમણા છે. માત્ર શુક્રાણુઓ અને સ્ત્રી બીજનાં મિલનથી જ ગર્ભધારણ થાય છે. પછી ભલે સહવાસ કોઈપણ પરિસ્થિતિમાં થયો હોય. આ રીતે એક વાત સાબિત થાય છે કે જાતીય ક્રિયાનો સીધો સંબંધ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. તેથી મનમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા રાખી વ્યક્તિ પોતાનો સમય અને ધન બરબાદ કરે છે. આ સમગ્ર ચક્કરમાં વ્યક્તિ વૈધ હકીમો ના ચક્કરમાં ફસાઈ જાય છે. જે તેમની પાસેથી ખૂબ જ મોટી રકમ વસૂલ કરે છે.