નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જુલાઈ, શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ની 75 મી વર્ષગાંઠ પર એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. યુએન સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પ્રથમ સંબોધન હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસ પર પણ ટૂંકો પ્રકાશ પાડ્યો હતો.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. માનવ પ્રગતિમાં સંયુક્ત રાષ્ટ્રનું મોટું યોગદાન છે. બીજા વિશ્વ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રના 50 સ્થાપક સભ્યોમાં પણ ભારતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના હવે 193 સભ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક સભ્યોમાં ભારત પણ સામેલ હતું.
આ સંદર્ભમાં, તે જાણવું મહત્વપૂર્ણ છે કે તે સમયે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) ના પહેલા પ્રમુખ કોણ હતા. ભારત માટે તે મહત્વનું છે કે તે વ્યક્તિ ભારતીય હતી, જેનું નામ દિવાન બહાદુર સર અર્કોટ રામાસમી મુદલીયાર હતું. તેઓ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના પ્રથમ પ્રમુખ હતા.