વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે, બે વર્ષની અંદર મહામારીનો અંત આવી શકે છે. જિનીવામાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સિંગ દરમિયાન ટેડ્રોસના જણાવ્યા પ્રમાણે, અમારી પાસે મહામારીને અટકાવવા માટે ટેક્નોલોજી પણ છે અને નોલેજ પણ છે. ઇતિહાસ પર નજર કરીશું તો જાણી શકાશે કે, મહામારી અર્થવ્યવસ્થા અને સમાજમાં પરિવર્તનનું કારણ બને છે. 1918માં સ્પેનિશ ફ્લુને નાબૂદ કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્તમાનમાં ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે, તેથી કોરોનાને ટૂંક સમયમાં અટકાવી શકાય છે.
શુક્રવારે WHOના સ્વાસ્થ્ય આપત્તિ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.માઈકલ રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોના કેસ ત્રણ અઠવાડિયામાં બમણા થઈ રહ્યા છે છે, પરંતુ મામલા સતત વધી રહ્યા છે. ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના ગીચ વસ્તીવાળા દેશોમાં પણ મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ આવું થવાનું જોખમ છે. રિયાન ચેતવણી આપી કે જો સંક્રમણ સમુદાયના સ્તરે શરૂ થશે તો તે ખૂબ ઝડપથી ફેલાશે.
રિયાને કહ્યું કે ભારતમાં લોકોનું આવાગમન ફરી શરૂ થઈ ગયું છે, જેથી ચેપ વધવાનો ભય છે. તો, WHOનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથે કહ્યું કે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 130 કરોડની વસ્તીનાં હિસાબે જોઇએ તો વધારે નથી, પરંતુ ચેપના દર અને ગતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.