ભારતમાં નોટબંધીને એકવર્ષથી પણ વધારે સમય થઈ ચૂકયો છે પરંતુ નેપાળમાં હજુ પણ ભારતીય ચલણી નોટો પાછી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. ભારત અને નેપાળની સૌથી મોટી બેન્કો, નેપાળ રાષ્ટ્ર બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી જુની ભારતીય નોટોને બદલવા પર કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે નેપાળના કસીનોમાં હજુ પણ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ભારતીય પર્યટક નેપાળના કસીનોમાં આ નોટો સાથે થાય છે. ત્યાં ૫૦૦ની નવી નોટ આપવા પર ૮૦૦ નેપાળી રૂપિયા મળી જાય છે અને ૫૦૦ની જૂની નોટ આપવા પર ૪૦૦ નેપાળી નોટ મળી જાય છે. કસીનો અને ડાંસ બારમાં જૂની ભારતીય કરન્સી નોટોને સરળતાથી બદલી શકાય છે. કાઠમાંડૂમાંજ બે હજારથી વધારે કાનૂની અને ગેરકાનૂની ડાંસ બાર્સ ચાલે છે. જોકે નેપાળમાં આ નોટોને ત્યારે જ બદલી શકાય છે જયારે તેના બદલે કોઈ કાઠમાંડૂના કસીનોમાં મોટી રકમ લગાવે. જૂની ભારતીય નોટો વડે કસીનોમાં ટોકન ખરીદી શકાય છે. આ ટોકનથી વ્યકિત પર્યટક કસીનોમાં રમીને નેપાળી કરન્સી કમાઈ શકે છે. આ પ્રક્રિયા સમગ્ર રીતે કાનૂની છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.