Brazil ના કોરોનાવાયરસને એકજ દિવસમાં 4000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મૃતકોને દફન કરવાની જગ્યા ખૂટી પડી છે.બ્રાઝિલમાં, કોરોનાવાયરસનું સંકટ વધી રહ્યું છે. દેશમાં મંગળવારે કોરોનાથી ચાર હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દેશમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી એકજ દિવસમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 4,195 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. આ રીતે, બ્રાઝિલમાં કોરોના મૃતકોની સંખ્યા વધીને 3,37,000 ની નજીક પહોંચી ગઈ છે. બ્રાઝિલમાં અમેરિકા પછી કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. મંગળવારે દેશમાં કોરોનાના 86,979 નવા કેસ નોંધાયા છે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો કંઇ કરવામાં નહીં આવે તો આ મહિનામાં એક લાખ બ્રાઝિલિયન નાગરિકોને પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના પ્રોફેસર અને બ્રાઝિલિયન ડોક્ટર મિગુએલ નિકોલિસે કહ્યું કે તે પરમાણુ રિએક્ટર જેવું છે, જેણે ચેન રિએક્શન શરૂ કરી દીધૂ છે અને હવે તે બેકાબૂ બની ગયું છે. તે બરાબર ફુકુશીમા જેવું છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, મૃતકોને દફન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાઝિલિયન ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ પોલિસી સ્ટડીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિગુએલ લાગોએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવી એ એક મોટી ભૂલ હતી. તેમને ડર છે કે આગામી દિવસોમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે. લાગોએ કહ્યું કે હકીકતમાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનું એન્ટી લોકડાઉન વિધાન અત્યાર સુધીમાં જીતતું હોય તેવું લાગે છે. મેયર્સ અને ગવર્નર્સને રાજકીય રૂપે સામાજિક અંતર માટેની નીતિઓ બનાવતા અટકાવવામાં આવી રહ્યા છે. આ લોકો જાણે છે કે નિયમો બનાવવા છતાં, વ્યવસાયથી સંબંધિત લોકો તેને તોડશે.