નેપાળમાં કાઠમંડુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થઈ ગયું. આ વિમાન બાંગ્લાદેશની યુએસ-બાંગ્લા એરલાઈનનું હતું. ‘કાઠમંડુ પોસ્ટ’ના અહેવાલ મુજબ, વિમાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA)ના પૂર્વ ભાગમાં જઈને પડ્યું. એરપોર્ટના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું કે, અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાની આશંકા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સએ નજરેજોનારાઓને ટાંકીને જણાવ્યું છે કે, બચાવ કાર્ય કરી રહેલા કર્મીઓને વિમાનના કાટમાળમાંથી બળેલી અવસ્થામાં શબ મળ્યા છે. વિમાનમાં 67 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સે સેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું કે, નેપાળ પ્લેન ક્રેશમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થઈ ગયા છે. અત્યાર સુધીમાં 17 લોકોને બચાવી લેવાયા છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે. મુસાફરોમાં 37 પુરુષો, 27 મહિલાઓ અને 2 બાળકો હતા.
કાઠમંડુ પોસ્ટ મુજબ, સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના ડાયરેક્ટર જનરલ સંજીવ ગૌતમે જણાવ્યું કે, રનવે પર લેન્ડ કરતા સમયે વિમાનનું સંતુલન બગડી ગયું. તેમણે કહ્યું કે, ‘વિમાનને રન-વેના દક્ષિણ તરફથી લેન્ડ કરવાની મંજૂરી અપાયેલી હતી, પરંતુ વિમાન ઉત્તર તરફથી લેન્ડ કરવા લાગ્યું. અમે અકસ્માતના કારણોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ અધિકારીઓએ વિમાનમાં ટેકનિકલ સમસ્યાની આશંકા પણ વ્યક્ત કરી છે.
એરપોર્ટના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરના જણાવ્યા મુજબ, વિમાન લેન્ડ કરતી વખતે નમી ગયું અને ત્યારે જ તેમાં આગ લાગી ગઈ, તે પછી તે પાસેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જઈને પડ્યું. વિમાન ઢાકાથી નિકળ્યું હતું અેન બપોરે 2.20 કલાકે કાઠમંડુમાં લેન્ડ કરવાનું હતું. ક્રેશ બાદ એરપોર્ટને બંધ કરી દેવાયું છે.
પ્રવાસન મંત્રાલયના જોઈન્ટ સચિવ સુરેશ આચાર્યના જણાવ્યા મુજબ, 17 ઈજાગ્રસ્તોને અત્યાર સુધી બચાવી લેવાયા છે અને અલગ-અલગ હોસ્પિટલોમાં મોકલાયા છે. બચાવ કાર્યમાં નેપાળની સેના પણ લાગેલી છે. પ્રવક્તા મુજબ, લેન્ડિંગ દરમિયાન રન-વેની તરફ પ્લેન ઝૂક્યું અને પાસેના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જઈને ક્રેશ થઈ ગયું. વિમાન ઢાકાથી કાઠમંડુ આવી રહ્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.