પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશીદે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત પર હુમલો કરવા માટે નાના-નાના એટમ બોમ્બ બનાવી રહ્યું છે. તેની મદદથી તેઓ આસામ સુધી ટાર્ગેટ કરી શકે છે. આ બોમ્બ સીધો હુમલો કરી શકે છે અને તેનાથી મોટા વિસ્તારોને બહુ નુકસાન પણ નહીં થાય. તેનો ઉપયોગ એવી રીતે કરવામાં આવશે કે જેથી મુસ્લિમ વિસ્તારોને નુકસાન ન થાય.
રાશીદે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ભારત પર 100-150 ગ્રામના એટમ બોમ્બ નાખીશું.
દુનિયામાં દેશોનો નવો બ્લોક તૈયાર થશે. ચીન તેની આગેવાની કરી રહ્યું છે. રશિયા, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચીન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન વિરુદ્ધ થઈ ગયા છે.
રાશીદે માન્યું કે, ઈન્ડિયન આર્મી યુદ્ધના પારંપરિક પદ્ધતિમાં પાકિસ્તાન સેનાની સરખામણીએ સારી છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન નાના એટમી હથિયાર તૈયાર કરી રહ્યું છે. જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન પારંપરિક રીતે લડાઈ ન જીતી શકે. તેમાં ઘણું લોહી વહી જશે, અંતે તે એટમી હથિયારથી જીતી શકાય એવી લડાઈ હશે.