રોહિંગ્યા મુદ્દે મ્યાનમાર સરકારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ટીમના મ્યાનમાર પ્રવાસના પ્રસ્તાવને નકારી દીધો છે.
તમને જણાવી દઈએ કે મ્યાનમાર સરકારે પહેલા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં રોહિંગ્યા શરણાર્થી સંકટનું સમાધાન લાવવા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ મ્યાનમાર સરકારે સ્થિતિનું નિરીક્ષણ કરવાનો ઈનકાર કર્યો છે.
ગત વર્ષ ઓગસ્ટમાં શરુ થયેલી હિંસા બાદ આશરે 7 લાખ રોહિંગ્યા શરણાર્થીઓએ પાડોશી દેશ બાંગ્લાદેશમાં આશ્રય મેળવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમારની કાર્યવાહીને નીજી મામલો કહ્યો છે. ઉપરાંત UN પરિષદે રખાઈન પ્રાંતમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન વિસ્થાપિત થયેલા લાખો રોહિંગ્યા મુસલમાનોને પરત બોલાવવા મ્યાનમાર સરકારને જણાવ્યું છે.
હાલતો મ્યાનમાર સરકારે યુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ટીમના પ્રવાસના પ્રસ્તાવને નકારી દીધો છે.