કાબુલ: તાલિબાનનો આતંક અફઘાનિસ્તાનમાં ચાલુ છે. અફઘાનિસ્તાનના ટોચના નેતાઓ પહેલા જ કહી ચૂક્યા છે કે પાકિસ્તાન ખુલ્લેઆમ તાલિબાનને સમર્થન આપી રહ્યું છે. હવે અફઘાનિસ્તાનના વાઇસ પ્રેસિડેન્ટ અમરૂલ્લાહ સાલેહે એક તસવીર શેર કરીને પાકિસ્તાન પર કટાક્ષ કર્યો છે. જે બાદ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે.
અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે શેર કરેલી તસવીર પાકિસ્તાની સેનાએ ભારતીય સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાની તસવીર છે. તસવીર શેર કરતાં સાલેહે લખ્યું, ‘આપણા ઇતિહાસમાં આવી કોઈ તસવીર નથી અને ક્યારેય નહીં હોય. હા, ગઈકાલે હું એક ક્ષણ માટે હચમચી ગયો હતો જ્યારે અમારી ઉપરથી પસાર થતો રોકેટ થોડાક મીટર દૂર પડ્યો હતો. પાકિસ્તાનના પ્રિય ટ્વિટર હુમલાખોરો, તાલિબાન અને આતંકવાદ તમારા તે ઘાવ પર મલમ લગાવશે નહીં જે ઘાવ અને આઘાત તમને આ તસવીર આપશે. કોઈ બીજી રીત શોધો.’
We don't have such a picture in our history and won't ever have. Yes, yesterday I flinched for a friction of a second as a rocket flew above & landed few meters away. Dear Pak twitter attackers, Talibn & terrorism won't heal the trauma of this picture. Find other ways. pic.twitter.com/lwm6UyVpoh
— Amrullah Saleh (@AmrullahSaleh2) July 21, 2021
આ તસવીર 1971 ના યુદ્ધ પછીની છે
અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિએ શેર કરેલી તસવીર 1971 ના યુદ્ધમાં ભારતના હાથે પાકિસ્તાનના ભયાનક પરાજયની છે. આ યુદ્ધમાં ભારતને હાથે ખરાબ રીતે પરાસ્ત થયા બાદ, પાકિસ્તાને હાર સ્વીકારી લીધી હતી. તે સમયે પાકિસ્તાનના 80 હજારથી વધુ સૈનિકોએ ભારતની બહાદુરી અને હિંમત ધારણ કરીને પોતાનો જીવ બચાવવા શરણાગતિ સ્વીકારી હતી. પાકિસ્તાનના આર્મી ચીફે ભારતીય સૈન્ય પ્રમુખની સામે શરણાગતિ પત્ર પર સહી કરી હતી.
તાજેતરમાં, તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ નિવાસને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણ રોકેટ ફાયર કર્યા હતા. જોકે રોકેટ હુમલામાં કોઈને ઇજા પહોંચી નથી, પરંતુ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિએ આ રોકેટ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું છે.
અફઘાનિસ્તાને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈ પણ સંજોગોમાં તાલિબાન સામે ઝૂકશે નહીં. અફઘાનિસ્તાને છેલ્લા શ્વાસ સુધી તાલિબાનો સામે લડવાની વાત કરી છે.