હજી તો કોવિડ-૧૯નો રોગચાળો દુનિયાભરમાં ચાલી જ રહ્યો છે ત્યાં ચીનમાં એક નવો વાયરસ દેખાયો છે અને ડુક્કરોમાં દેખાયેલો આ વાયરસ જો માનવીઓમાં પ્રવેશે તો તેનાથી સ્વાઇન ફ્લુ જેવો રોગચાળો શરૂ થવાની શક્યતા રહેલી છે.
સમગ્ર ચીનના ડુક્કર ઉછેર કેન્દ્રોમાં આ વાયરસ દેખાયો છે. હાલ તો આ વાયરસ ફક્ત ડુક્કરોમાં જ છે પરંતુ તે માનવમાં પ્રવેશે તો તેમાં રોગચાળો ફેલાવી શકવાની તમામ ક્ષમતાઓ દેખાઇ છે એમ એક અભ્યાસમાં દર્શાવાયું છે. હાલ પન આ વાયરસ ડુક્કર ઉછેર કરતા કેટલાક ખેડૂતો અને ડુક્કર ઉછેર ફાર્મના કેટલાક કામદારોમાં દેખાયો જ છે પરંતુ માનવીમાંથી માનવીમાં આ વાયરસ ફેલાતો હોવાના કોઇ સંકેતો દેખાયા નથી. નિષ્નાતો કહે છે કે હાલ તુરંત તો આ વારયસથી વૈશ્વિક રોગચાળો ફેલાવાનો ભય નથી.
પીએનએએસ જર્નલમાં પ્રકાશિત થયેલ અભ્યાસ ચીનમાં ૨૦૧૧થી ૨૦૧૮ સુધીમાં ડુક્કરોમાં કરવામાં આવેલા સર્વે પર આધારિત છે અને તેમાં જનાયું છે કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ સ્ટ્રેઇન કે જેમાં જી૪ જીનોટાઇપ તરીકે વર્નવવામાં આવેલ જીનેટીક મટીરીયલ દેખાયું છે તે ૨૦૧૬થી ડુક્કરોમાં સ્થાયી પ્રકારનો થઇ ગયો છે. આ વાયરસથી ડુક્કરોમાં છીંક, કફ જેવા ચિન્હો સાથે વજન ઘટવાનું લક્ષન જોવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે જો ડુકકરોમાં વાયરસના આ રોગચાળા પર બરાબર નજર રાખવામાં નહીં આવે તો માનવીઓમાં આ વાયરસનો રોગચાળો ફેલાઇ શકે છે.
ચીનના નિષ્નાતો કહે છે કે ડુક્કરો મહત્વના મધ્યસ્થી પુરવાર થઇ શકે છે અને આ વાયરસ માનવીઓમાં ફેલાય તેવી શક્યતા છે જ્યારે કેટલાક નિષ્નાતો કહે છે કે માનવમાં આ રોગચાળો ફેલાય તેવી શક્યતા ઓછી છે. સ્વાઇન ફલુના વાયરસને એચ૧એન૧ નામ આપવમાં આવ્યું હતું જ્યારે આ નવા વાયરસને જી૪ ઇએ એચ૧એન૧ નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે હાલ તો ડુક્કર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર ખાસ નજર રાખવા જેવી છે.