વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નું કહેવું છે કે યુરોપ અને દુનિયાના અન્ય દેશ વગર વેક્સિન પણ કોવીડ-19 (Covid-19 Vaccine) પર નિયંત્રણ રાખી શકે છે, અને તેના માટે તેમને સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવું પડશે. WHOના યુરોપના નિર્દેશકે કહ્યું કે તેમને નથી લાગતું કે અહીં રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન સફળ રહ્યું છે, પરંતુ જ્યાં સંક્રમણ ફેલાવાનો સૌથી વધુ ભય છે ત્યાં આની ખુબ જ જરૂરત છે. બીજી બાજુ ઇટલીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત દર્દીને વાયરસથી સાજા થવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુરોપના પ્રાદેશિક નિર્દેશક હૈન્સ ક્લુગે એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું, ‘જયારે આપણે મહામારીથી જીત હાસિલ કરીશું, જરૂરી નથી કે તે વેક્સિનથી જ સંભવ છે. આવું આપણે ત્યારે જ કરી શકશું જયારે આપણે આ મહામારી સાથે રહેતા શીખી જશું અને તેવું આપણે કરી જ શકીએ.’ જયારે એમને પૂછવામાં આવ્યું શું આવતા મહિનોમા સંક્રમણની સેકન્ડ વેવથી બચવા માટે ફરી મોટા સ્તરે લોકડાઉન લગાવવું પડશે? તો એમણે કહ્યું, ‘નહીં મને અપેક્ષા છે કે તેની જરૂર નહીં પડે પરંતુ સ્થાનિક સ્તરે લગાવેલ લોકડાઉનની સંભાવનાને હટાવી ન શકીએ.’
ઇટલીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોના સંક્રમિત દર્દીને વાયરસને દૂર કરવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગે છે. એટલે પોઝિટિવ આવ્યાના એક મહિના બાદ ફરી ટેસ્ટ કરાવો જોઈએ. તેમણે જણાવ્યું કે પાંચ નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટમાં એક રિપોર્ટ ખોટી હોય છે. ઇટલીના મોડેના એન્ડ રેજિયો એમિલીયા યુનિવર્સીટીના ડોક્ટર ફ્રાન્સિસ્કો વેંતુરેલી અને તેમના સાથીઓએ 1162 દર્દીઓ પર અભ્યાસ કર્યો છે. તેમાં કોરોના દર્દીઓનું બીજી વાર પરીક્ષણ 15 દિવસ બાદ, ત્રીજી વાર 14 દિવસ બાદ અને ચોથી વાર નવ દિવસ બાદ કરવામાં આવ્યું. તેમાં જાણ થઇ કે પહેલા જેમની રિપોર્ટ નેગેટિવ હતી તેઓ ફરી પોઝિટિવ આવ્યા. સરેરાશ 5 લોકોના નેગેટિવ ટેસ્ટમાં એકનું રિઝલ્ટ ખોટું હતું. અભ્યાસ અનુસાર, 50 વર્ષ સુધીના લોકોને 35 દિવસ અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાજા થવામાં 38 દિવસ લાગે છે.