UAE Hindu Temple : અબુધાબીનું હિન્દુ મંદિર રવિવારથી સામાન્ય લોકો માટે ખુલ્યું છે. પહેલા જ દિવસે લગભગ 65 હજાર ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. BAPS હિન્દુ મંદિર દર મંગળવારથી શનિવાર સવારે 9 થી સાંજના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને મંદિર દર સોમવારે બંધ રહેશે.
સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીનું હિન્દુ મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું છે. પહેલીવાર કોઈ મુસ્લિમ દેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ છે. BAPS ની સત્તાવાર વેબસાઈટ અનુસાર, પહેલા જ દિવસે 65,000 થી વધુ શ્રદ્ધાળુઓ BAPS હિંદુ મંદિરે પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ મંદિર રવિવારે સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. સાંજે મંદિર ખુલતાની સાથે જ અહીં 25 હજારથી વધુ લોકોએ પૂજા-અર્ચના કરી હતી. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.