યુનાઈટેડ અરબ એમીરાત(UAE)એ ભારતીય ટુરીસ્ટોને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે નિર્ણય પ્રમાણે હવે તમને બે દિવસના ફ્રી ટ્રાન્ઝીટ વીઝા મળશે. બે દિવસના ફ્રી ટ્રાન્ઝીટ વિઝા મળવાનો મતલબ છે કે દુબઈ અને અબુ ધાબી થઈને તમે દુનિયાની બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યા છો તો તમને અહીં 48 કલાક રોકાવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં. એટલું જ નહીં, જો તમે બે દિવસના સમયને વધારવા માગો છો તો એવું પણ કરી શકો છો. તમે માત્ર 50 દિરહામ આપીને આ સમયની સીમાને સીધા ચાર દિવસ અથવા 96 કલાક સુધી વધારી શકો છો. ભારતીય ટુરિસ્ટને આકર્ષિત કરવા માટે UAE કેબિનેટે આ નિર્ણય લીધો છે. પરંતુ નવો નિયમ ક્યારથી લાગૂ થશે, તેની જાહેરાત કરવામાં આવી નથી. તમે આ ટ્રાન્ઝીટ વિઝાને બધા UAE એરપોર્ટ પર પાસપોર્ટ કંટ્રોલ હોલમાં એક્સપ્રેસ કાઉન્ટર્સથી હાંસલ કરી શકશો. UAE પહેલેથી જ ભારતીયોની પંસદગી બની ચૂક્યો છે. 2017માં 3.60 લાખ ભારતીય યાત્રીઓએ અબુધાબીની મુલાકાત કરી હતી. આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ 11 ટકા વધુ છે. UAE સિવાય અન્ય ઘણા દેશો છે, જે ભારતીય પર્યટકોને આકર્ષિત કરવા માટે વિઝા નિયમોને સરળ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ઈઝરાયલ, જાપાન, ઓમાન સહિત ઘણા દેશો સામેલ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.