21 જૂનને આખી દુનિયામાં આઁતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5 હજાર વર્ષથી યોગ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો રહ્યો છે. યોગ ફક્ત તમારા શરીરને રોગથી દુર રાખતો નથી પણ તમારા મનને પણ શાંત રાખવાનું કામ કરે છે. જાણો આંતરાષ્ટ્રીય યોગ દિવસ વિશેની કેટલીક મહત્વની જાણકારી.
આ રીતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ
આઁતરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત વડાપ્રધાન મંત્રી મોદી દ્વારા કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર 2014 ના દિવસે પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એક સાથે યોગ કરવાની વાત કરી હતી. ત્યારબાદ મહાસભાએ 11 ડિસેમ્બર 2014 ના રોજ આ પ્રસ્તાવનો સ્વિકાર કર્યો હતો. ત્યારથી આંતરાષ્ટ્રીય યોગ દિવસ અમલમાં આવ્યો.
શા માટે 21 જૂનના દિવસે જ મનાવવામાં આવે છે.
21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. જેને ઘણા લોકો ગ્રિષ્મ સંક્રાંતિ તકીકે પણ ઉજવે છે. ભારતીય પરમપરા મુજબ ગ્રિષ્મ સંક્રાંતિ પછી સુર્ય દક્ષિણ તરફ છળી જાય છે. કહેવામાં આવે છે કે આ ગ્રિષ્મ સંક્રાતિનો સમય આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો એક મત્વનો સમય છે. આ કારણે 21 જૂનના દિવસે આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.