Ayushman Card Fee: કાર્ડ દ્વારા કેટલો લાભ મળે છે?
Ayushman Card Fee: આયુષ્માન કાર્ડ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ પાત્ર લોકોને મફતમાં તબીબી સારવાર આપવામાં આવે છે. સરકાર દ્વારા જારી કરવામાં આવતા આ કાર્ડથી દેશભરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવવાની તક મળે છે.
કાર્ડ દ્વારા કેટલો લાભ મળે છે?
જેમનું આયુષ્માન કાર્ડ બન્યું હોય, તેમને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળે છે. આ યોજના હેઠળ અનેક ગંભીર બિમારીઓ આવરી લેવાય છે..
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
ઓનલાઇન અરજી: https://pmjay.gov.in વેબસાઇટ પર જઈ તમે ઘરે બેઠાં આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો.
મોબાઈલ એપ: આયુષ્માન એપ ડાઉનલોડ કરી ઓનલાઇન અરજી કરવાનું વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
ઓફલાઇન અરજી: તમારા નજીકના CSC સેન્ટર પર જઈ પાત્રતા તપાસાવી જરૂરી દસ્તાવેજો આપી આયુષ્માન કાર્ડ બનાવાવી શકો છો.
કાર્ડ બનાવવા માટે કોઈ ફી ચૂકવવી પડે છે?
જો તમે પાત્ર છો, તો આયુષ્માન કાર્ડ બનાવવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. સરકાર દ્વારા જ આ કાર્ડ મફતમાં બનાવવામાં આવે છે. જો કોઈ એજન્ટ કે અધિકારી કાર્ડ માટે પૈસા માંગે તો તુરંત આયુષ્માન ભારતના હેલ્પલાઇન નંબર 14555 પર ફરિયાદ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ એ સામાન્ય લોકો માટે આરોગ્યનો જીવદાતા બની રહ્યો છે. મફત સારવાર તથા પાત્ર લોકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક કાર્ડ બનાવવાની વ્યવસ્થા એ આ યોજનાની ખાસિયત છે.