બુધવારે પોલીસે ગૌમૂત્ર પાર્ટીનું આયોજન કરનારા એક બીજેપી કાર્યકર્તાની ધરપકડ કરી છે. આ પાર્ટી કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગૌમૂત્ર પીવાથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકો ઠીક થઈ શકે છે. તેના સેવન બાદ એક નાગરિકે સ્વયંસેવર બીમાર થઈ ગયો જેની ફરિયાદ બાદ પોલીસે બીજેપી કાર્યકર્તાની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે, મંગળવારે મોડી રાત્રે ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ પીડિત દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અધિકારીઓએ કહ્યું કે, ઉત્તરી કોલકતાના જોરાસાખો વિસ્તારના સ્થાનીય પાર્ટી કાર્યકર્તા 40 વર્ષીય નારાયણ ચેટર્જીએ સોમવારે એક ગૌશાળામાં ગૌ પૂજા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ગૌમૂત્રનું વિતરણ કર્યું હતું. તેમણે બીજાઓને ગૌમૂત્ર આપતી વખતે તેના “ચમત્કારિક” ગુણોનો ઉલ્લેખ કર્યો હતો. “
ગાય શેડની પાસે ડ્યૂટી પર એક ગયેલા એક નાગરિક સ્વયંસેવકે પણ ગૌમૂત્રનું સેવન કર્યું અને મંગળવારે બીમાર પડ્યો હતો. જે બાદ તેમણ ચેટર્જી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ધરપકડ થયા બાદ ચેટર્જીએ રાજ્ય સરકારની આલોચના કરી હતી.