કોરોનાના ભયની વચ્હાચે ડોક્ટરો પોમ કેસ લેોવાની ના પાડી રહ્યા છે. કોરોનાના વધતા કેસ સામે સારવાર માટે ડોક્ટરોની વધુ જરુરીયાત ઉભી થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેટલીક હોસ્પિટલમાં ડૉક્ટરો જતા ડરી રહ્યા છે, તો કેટલાક ભાગી રહ્યા છે. આવી જ ઘટના ઝારખંડમાં સામે આવી હતી, ઝારખંડમાં એક ડોક્ટર કપલે કોરોનાની સારવાર કરવાની ના પાડી દીધી અને નોકરી છોડી દીધી હતી.
એટલુ જ નહીં જો કોરોના વાઈરસના દર્દીની સારવાર માટે તેઓ પોતાની ડયૂટીમાં નહીં જોડાય તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે, તેવી ચીમકી પણ સરકારે આપી દીધી છે. ઝારખંડ એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન એક્ટ 2020, એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 હેઠળ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવશે. રાજીનામું આપનારા ડોક્ટરને ત્રણ દિવસ પહેલા જ કોરોના વાઇરસની સારવાર માટેની જવાબદારી સોપવામાં આવી હતી, જોકે ડરના માર્યા આ ડોક્ટરે સારવાર કરવાની ના પાડી દીધી હતી અને લેખિતમાં નહીં વોટ્સએપ તેમજ ઇમેલથી જ રાજીનામુ આપી દીધુ હતું.