દેશવ્યાપી લોકડાઉનના કારણે ભારતના અર્થંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. એક રીપોર્ટ મુજબ, 21 દિવસના લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને 100 અરબ ડોલર એટલે કે આશરે 7.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.
એક્યુટ રેટીંગ્સના એક અહેવાલમાં જણાવ્યું હતું કે તેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને દરરોજ 4.5 અરબ ડોલર અથવા લગભગ 34 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
રીપોર્ટ મુજબ, પર્યટન અને મુસાફરી, ખાદ્યપદાર્થો, રિયલ એસ્ટેટ જેવા ઉદ્યોગોને વધુ પડતું નુકસાન થયું છે. આ ઉદ્યોગોની ગ્રોસ વેલ્યૂ એડેડ એટલે કે GVA આશરે 22 ટકા જેટલું યોગદાન છે. તેના કારણે, ઘણી રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે ભારતની જીડીપી ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં માત્ર 2 થી 3 ટકા વૃદ્ધિ પામી શકે છે, જ્યારે માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 5 ટકાની આસપાસ રહેવાનો હોવાનો અંદાજ છે.
નોંધપાત્ર વાત એ છે કે વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને તેના કારણે લગભગ એક તૃતીયાંશ દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. તેનાથી વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થઈ રહ્યું છે. દેશમાં કોરોના વાયરસના મામલાઓએ જોર પકડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. ગુરુવારે સવાર સુધીમાં કોરોના વાયરસના સકારાત્મક કેસોની સંખ્યા 2000 ને વટાવી ગઈ છે, જ્યારે આને કારણે 68થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.