કોરોના નો ખતરનાક પંજો હવે ગુજરાત ઉપર હાવી થઈ ગયો છે અને વડોદરા માં સવારે વધુ એક નું મોત થયું છે,મૃતક વડોદરાના કરજણ તાલુકાના લતીપુરા ટીમ્બી ગામના 58 વર્ષ ના અકબરખાન પઠાણ હોવાની વિગતો જાણવા મળી છે, જોકે તેમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પેન્ડિંગ છે.અકબરખાન પઠાણને 5 એપ્રિલે હાર્ટ એટેક આવ્યા બાદ વાઘોડિયા પાસે આવેલી પીપરીયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનામાં કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેમને 7 એપ્રિલે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના વાઈરસના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું આજે સવારે મોત નીપજ્યું છે. આમ બરોડા માં કોરોના નો હાઉ વધી રહ્યો છે.
