દિલ્હીમાં કોરોના બેફામ થઈ ગયો છે. દિલ્હીમાં જ કોરોનાના કુલ 576 મામલા નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 51 નવા પોઝિટિવ મામલા આવ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, 576માંથી 333 મામલા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 9 પર પહોંચી છે.
દિલ્હીના દ્વારકામાં ક્વોરન્ટીન સેન્ટરની બહાર જમાતીઓ દ્વારા પેશાબ ભરેલી બોટલો ફેંકવમાં આવી હતી. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. જેનો એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો. જાણકારી મુજબ આ સેન્ટર્સમાં માત્ર જમાત સાથે સંકળાયેલા લોકોને જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ અગાઉ પણ રાજધાની દિલ્હી સહિત ભારતમાં અનેક ઠેકાણે કોરોન્ટાઈનમાં રાખવામાં આવેલા જમાતીઓ ગંદી અને શરમજનક હરકતો કરી રહ્યાં છે. ક્યાંક જમાતીઓ નર્સો સામે જ પેંટ ઉતારી દે છે, તો ક્યાંક માંસ-મટન, ઈંડા અને બિરિયાનીની માંગણી કરી રહ્યાં છે. તો ક્યાંક 25-25 રોટલીઓ અને ગ્લાસ ભરીને ચા માંગીને મેડિકલકર્મીઓ અને ડોક્ટરો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે.