ભારતમાં એક દિવસમાં સંક્રમિતો મળવાનો સૌથી મોટો આંકડો છે. આ સાથે દેશમાં પીડિતોની સંખ્યા 5,194 થઇ ગઇ છે. 149 લોકોનું આ બીમારીથી મોત થયુ છે. આ આંકડાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇશારો કર્યો કે લોકડાઉન 14 એપ્રિલે પૂર્ણ નહી થાય. બીજેડી નેતા પિનાકી મિશ્રાએ વડાપ્રધાન સાથે મીટિંગ બાદ ન્યૂઝ એજન્સી પીટીઆઇને જણાવ્યુ કે વડાપ્રધાને સ્પષ્ટ કર્યુ છે કે લોકડાઉન 14 એપ્રિલે એક વખતમાં નહી હટાવવામાં આવે. પીએમે એમ પણ કહ્યું કે કોરોના પહેલાનું જીવન અને કોરોના બાદનું જીવન હવે એક જેવુ નહી રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંસદો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ બીજેડીના સાંસદ પિનાકી મિશ્રાએ જણાવ્યુ કે પીએમે એમ સ્પષ્ટ કર્યુ છે કે 14 એપ્રિલ બાદ એક સાથે લોકડાઉન નહી હટાવવામાં આવે. મિશ્રા અનુસાર, પીએમનું કહેવુ છે કે પ્રી-કોરોના અને પોસ્ટ કોરોનાનું જીવન એક સમાન નથી થવાનું. અર્થ એવો છે કે કોરોના બાદ દેશ-દુનિયામાં ઘણુ બદલાવાનું છે.