પીએમઓએ ટ્વીટ દ્વારા પીએમ મોદીના હવાલાથી જણાવ્યુ કે, કોરોના જાતી, ધર્મ, રંગને નથી જોતો. કોરોના સંપ્રદાય, ભાષા અને સરહદ પણ નથી જોતો. તેથી એકતા અને ભાઈચાર બનાવી રાખવાની જરૂર છે. પીએમે જણાવ્યુ કે, કોરોના વાયરસથી લડાઈમાં આપણા બધા એક સાથે છીએ.
જણાવી દઈએ કે, કોરોના કેસો દેશમાં ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી આ ખતરનાક રોગચાળાના કારણે 519 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશભરમાં 3 લાખ 86 હજાર 791 ટેસ્ટ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 2302 લોકો સાજા થયા છે.
આ ઉપરાંત લોકડાઉનના કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ પર પણ બ્રેક લાગ્યો છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે, લોકડાઉન દરમિયાન બિન-જરૂરી વસ્તુની ઓનલાઇન ડિલીવરી નહીં થાય.
લોકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની શોપ ખુલી છે તો બીજી તરફ જરૂરી વસ્તુની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે. જોકે, ગૃહ મંત્રાલયે આદેશ આપ્યુ છે કે, ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા લોકડાઉન દરમિયાન બિન-જરૂરી વસ્તુઓની સપ્લાય પર રોક રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે રવિવારે જણાવ્યુ કે, વૈક્સીન અને ડ્રગ ટેસ્ટ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, 23 રાજ્યોના 43 જિલ્લામાં 14 દિવસોથી એક પણ કેસ નોંધાયો નથી. આપણે ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસ કરી રહ્યા છે.