કોરોના વાયરસ દેશ માં ખુબજ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે હાલ માં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 4000ને પાર પહોંચી છે. જેમાં કેટલાક પત્રકારો પણ સંક્રમણ નો ભોગ બન્યા છે, મુંબઈમાં 53 પત્રકારો ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સોમવારે સવારે આ પત્રકારોનો રિપોર્ટ આવ્યો હતો. અગાઉ 16 એપ્રિલ ના રોજ કુલ 167 પત્રકારોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. નવાઈ ની વાત તો એ છે કે ટેસ્ટનું આયોજન પણ મુંબઇ શહેર સ્થિત પત્રકાર સંસ્થા તરફથી કરવામાં આવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે સરકાર પત્રકારો સામે ઓરમાયું વર્તન કરી રહી છે ત્યારે દેશમાં અન્ય હિસ્સાઓ માં પત્રકાર નું કોણ બેલી ? સરકારે પત્રકારો માટે આગળ આવવું પડશે સરકારે માત્ર સરકારી લોકો માટે સહાય જારી કરી છે તો પત્રકાર ભલે સરકારી માણસ નથી પણ દેશ ની ચોથી જાગીર નો હિસ્સો છે અને અક્રેડિટ હોય કે નોન એક્રેડિટ પણ પત્રકાર છે તેના માટે નિયમો અને અલગ લાભો સુરક્ષા કવચ વગેરે માટે વિચારવુ જ રહ્યું
