કોરોના ને લઈ ભારત માં લોકડાઉન છે અને ઉનાળો પણ જામ્યો છે ત્યારે દિલ્હીમાં આજે સવારે હવામાનમાં પલટો આવવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, દિલ્હીના જનપથ, મુનરિકા, કટવારિયા સરાય સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જોકે ભારતીય હવામાન વિભાગ દ્વારા અગાઉ બે દિવસ સુધી વરસાદની પડવાની આગાહી કરી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.
નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન વિભાગ કેન્દ્રના પ્રમુખ ડો. કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું, દિલ્હી એનસીઆરમાં હળવા વરસાદ પડી શકે છે અને 40 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આમ આ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા લોકો ને ગરમી માંથી રાહત મળી છે.
