કોરોના માં ગુજરાતમાં ફસાયેલા શ્રમિકો નું ડબલ ભાડું વસુલ કરી અન્ય રાજ્યો માં મુકવા ગયેલા ગુજરાત ના બસ ડ્રાઇવરો સાથે ઓરિસ્સા ની પોલીસે આરોપીઓ જેવું વર્તન કરી ખાવાપીવાનો ભાવ ન પૂછીને એક મેદાન માં બસ પાર્ક કરવી નજરકેદ બનાવી દેતા ગુજરાતી ડ્રાઇવરો ને અત્યન્ત કડવો અનુભવ થયો હતો જેઓ એ પોતાના ગુજરાત ના યુનિયન અને સાંસદ સી આર પાટીલ ની મદદ થી માંડ છૂટ્યા હતા.વિગતો મુજબ સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા. પરત ગુજરાત નહીં આવવા દેવાની વાતથી અકળાયેલા ભૂખ્યા-તરસ્યા ડ્રાઈવરોએ આખરે વીડીયો બનાવી મદદની અપીલ કરવી પડી હતી.
કોરોનાએ ગુજરાતમાં કેર વર્તાવતા લાગુ કરાયેલા લોકડાઉન વચ્ચે કામધંધા વગર અકળાયેલા અને ભોજનની ચિંતામાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિક વર્ગોએ પોતાના વતન જવાની માંગ કરી હતી. સૌથી પહેલા ઓડિશા સરકારે તેમના શ્રમિકોને વતનમાં આપવાની પરવાનગી આપી હતી. જેથી, સુરત, ભરૂચ અને વડોદરા સહિતના શહેરમાં 80 જેટલી બસ શ્રમિકોને લઈને ઓડિશા ગઈ હતી. જોકે, આ બસમાં રિટર્ન ભાડા વસૂલ કરાયા હતા. પ્રત્યેક કિલોમીટરે રૂ. 45થી 50 લેવાયા હતા.
વતન પહોંચેલી 80 જેટલી બસોને ભુવનેશ્વરના અંતરિયાળ ગામમાં એક મેદાનમાં મુકાવી દીધી હતી અને ત્યાં ડ્રાઈવર-કંડક્ટરોને ખાવા-પીવા કે ચા-પાણી નાસ્તાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તાપ-તડકામાં ભૂખ્યા –તરસ્યા અકળાયેલા ડ્રાઈવરોએ ગુજરાત જવાની માંગણી સ્થાનિક કલેક્ટરોટના અધિકારીઓને અને પોલીસને કરી હતી. પરંતુ મેદાની બહાર ઊભેલી પોલીસ, સીઆરપીએફ અને આરએએફના જવાનોએ તેમને બહાર નીકળવા દીધા ન હતા. આખરે અકળાયેલા ડ્રાઈવરોએ સામુહિક રીતે એક વીડીયો બનાવીને મદદ કરી મુક્ત કરાવવા અપીલ કરી હતી.
જેને ધ્યાને લઇ ઓલ ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ફેડરેશનના પ્રમુખ દિનેશ અણઘણે જણાવ્યું હતું કે, આ વીડીયો સાચો હોવાની વાતને સમર્થન આપતા કહ્યુ હતું કે, અમે તુરંત જ જેની બાંયધરીથી બસ મોકલાવી હતી તે નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ અને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીને વાત કરી હતી. તેઓએ દરમિયાનગીરી કરતા તમામ બસને ગુજરાત તરફ રવાના કરાયા હોવાની માહિતી જાણવા મળી છે જોકે આ મજુર પાસે થી રિટર્ન ભાડું વસુલ કરવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને ગરજ ના ભાવ વસુલ કરી કોરોના માં મદદ ની ભાવના ને બદલે કમાવા ની દાંનત સામે નારાજગી જોવા મળી હતી જેથી ત્યાંના લોકો એ પોતપોતાના દૂર દૂર ના ગામો સુધી બસો ને લઈ જવાની ફરજ પાડી હતી
