હાલ કોરોના ની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં શાળાઓ ફરી શરૂ કરવા બાબતે હજુસુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની સાથે સ્કૂલ સંચાલકો, વાલીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના અભિપ્રાય, સૂચનો મેળવવામાં આવી રહ્યા છે જેમાં 15 ઓગેસ્ટ પછી સ્કૂલો શરૂ કરવાની દિશામાં વિચારણા કરાઈ રહી છે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયની ગાઈડલાઈન, આરોગ્ય વિભાગ અને ગૃહવિભાગની સૂચનાઓ સાથે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ કરવા અંગેની ચોક્કસ નીતિ બનાવવાશે. હાલ માં પ્રાયમરી બેઝ પર જે રીતે નક્કી કરાયુ છે તેમાં ગુજરાત સહિત દેશભરમાં સ્કૂલો શરૂ કરવા માટે NCERT દ્વારા ડ્રાફ્ટ પ્લાન તૈયાર કર્યો છે, જેમાં સૌ પ્રથમ ધોરણ 11 અને 12 શરૂ કરવામાં આવશે, ત્યારબાદ 2 કે 3 અઠવાડિયા બાદ તબક્કા વાર અન્ય ધોરણો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત એક વર્ગમાં 30થી 35 જ વિદ્યાર્થીઓ અને તે પણ 6 ફૂટના ડિસ્ટનસ સાથે બેસાડવામાં આવશે
હવે દેશ ધીમે–ધીમે અનલોક થઈ રહ્યો છે ત્યારે લગભગ બે મહિનાથી બંધ સ્કૂલોને હજી પણ ખોલવામાં આવી નથી. આરોગ્ય અધિકારીઓની મદદથી રાજ્ય સરકાર 15મી ઓગસ્ટ સુધીમાં સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ લોકડાઉનના કારણે બધં કરાયેલી સ્કૂલો ફરી શરૂ કરવાનો નિર્ણય લેશે.
રાજ્ય સરકારે સ્કૂલો, શિક્ષકો અને લાગતા–વળગતા નિષ્ણાતોને સ્થિતિની સમીક્ષા કરીને પોતાના અભિપ્રાય રજૂ કરવાનું સૂચન આપી દીધું છે. ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર,અમે નિરીક્ષણના તારણનો અભ્યાસ કરીશું અને તેની ચર્ચા વાલીઓ સાથે કર્યાં પછી જ સ્કૂલો ફરી ખોલવા અંગે નિર્ણય લઈશું. સૌથી મોટી ચિંતા ધોરણ 1થી 5ના બાળકોની છે. બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરવા અને વિદ્યાર્થીઓને પુસ્તકો મળી જાય તેની પણ વ્યવસ્થા ચાલુ હોવાનું તેઓ એ ઉમેર્યું હતું.
હાલ ઘણી સ્કૂલો માં સોમવાર થી ઓનલાઇન સ્ટડી ચાલુ થઈ ગયુ છે અને વિદ્યાર્થીઓ ની ઓન લાઇન હાજરી પણ પૂરવામાં આવી રહી છે બાદ માં સ્કૂલ ચાલુ થતા તે સ્કૂલ માં રેગ્યુલર ગણવામાં આવશે.
