શું નસીબના ભરોસે જીતશે ભારત? વાનખેડેમાં ગ્રહણને લીધે ટ્રેનિંગ મોડી કરી, હવે અમદાવાદમાં ‘ટોટકા’ની ચર્ચા

3 Min Read

શું ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા અંધવિશ્વાસમાં ડૂબી છે? હોટલ બદલવા થી લઈ પ્રેક્ટિસમાં મોડું કરવા સુધીના કિસ્સા

ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં રમતની રણનીતિની સાથે સાથે કેટલાક ‘અંધવિશ્વાસ’ પણ ચર્ચાનો વિષય બન્યા છે. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા આ મહામુકાબલા પહેલા નસીબ ચમકાવવા માટે ટીમ મેનેજમેન્ટે કેટલાક અજીબ નિર્ણયો લીધા હોવાનું સામે આવ્યું છે.

નસીબ બદલવા માટે અમદાવાદમાં બદલી નાખી હોટલ

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તાજેતરના સમયમાં ભારતીય ટીમ માટે ખાસ નસીબદાર સાબિત થયું નથી. 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર હોય કે આ વર્ષે જ દક્ષિણ આફ્રિકા સામે સુપર-8માં મળેલી મોટી હાર, આ બંને કડવી યાદો આ મેદાન સાથે જોડાયેલી છે.

- Advertisement -

 team.jpg

PTIના અહેવાલ મુજબ, આ નકારાત્મકતાને દૂર કરવા માટે BCCIએ ટીમ ઈન્ડિયાની હોટલ બદલી નાખી છે. અગાઉ જે હોટલમાં રોકાતી વખતે ભારતે બે મહત્વની મેચો ગુમાવી હતી, આ વખતે ફાઈનલ પહેલા ટીમ ત્યાં રોકાશે નહીં. જોકે સત્તાવાર રીતે કોઈ આ વાત સ્વીકારશે નહીં, પરંતુ સૂત્રોનું માનવું છે કે આ નિર્ણય માત્ર ‘બેડ લક’ થી બચવા માટે જ લેવામાં આવ્યો છે.

- Advertisement -

ચંદ્રગ્રહણને કારણે ટ્રેનિંગ સેશનમાં 45 મિનિટનો વિલંબ

અંધવિશ્વાસનો બીજો કિસ્સો મુંબઈમાં જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ જેવી મહત્વની મેચના એક દિવસ પહેલા, ભારતીય ટીમે પોતાનું પ્રેક્ટિસ સેશન 45 મિનિટ મોડું શરૂ કર્યું હતું. આ વિલંબ પાછળનું કારણ ‘ચંદ્રગ્રહણ’ હોવાનું કહેવાય છે. ભારતમાં એવી માન્યતા છે કે ગ્રહણ દરમિયાન અશુભ અસરોથી બચવા માટે કોઈ નવું કે મહત્વનું કામ ન કરવું જોઈએ.

રસપ્રદ વાત એ છે કે આ ‘ટોટકો’ ટીમ માટે કામ કરી ગયો હોય તેમ લાગે છે, કારણ કે ભારતે એક હાઈ-સ્કોરિંગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. બુમરાહની છેલ્લી ઓવરોની કમાલને કારણે ભારત હારતા હારતા બચી ગયું હતું.

team1.jpg

- Advertisement -

ગૌતમ ગંભીર અને ખેલાડીઓ લગ્ન સમારંભમાં વ્યસ્ત

એક તરફ મેચનું ટેન્શન અને અંધવિશ્વાસની વાતો ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર મુંબઈમાં એક ખાસ લગ્ન સમારંભમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. ગંભીર ક્રિકેટ જગતના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નમાં સામેલ થયા હતા.

સોશિયલ મીડિયા પર ગંભીરની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. અહેવાલો મુજબ માત્ર ગંભીર જ નહીં, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સમાં અર્જુનના સાથી ખેલાડીઓ એવા ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા પણ આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હોવાનું મનાય છે.

Share This Article