અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના ની સ્થિતિ બગડતી જઈ રહી છે અને સરેરાશ દરરોજ નવા 500થી વધુ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. લગભગ 30 લોકોના મોત થયા છે. જૂન મહિનામાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 26198 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1619એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 18169 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 540 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મૃત્યુ થયા છે.
રાજ્યમા નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12, ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 5, કચ્છ, જૂનાગઢ, નર્મદામાં 4-4, વલસાડમાં 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. આમ કોરોના ની સ્થિતિ વિકટ બની રહી છે.
