ઓલ ઈન્ડિયા સીફેરર (The All India Seafarer) અને જનરલ વર્કર્સ યુનિયને એવો દાવો કર્યો છે કે બ્રિટનના પોર્ટ સ્થિત ઊભેલા જહાજોમાં આશરે 1500 ભારતીય ચાલક દળના સભ્યો ફસાયેલા છે. The Maritime and Coastguard Agency (MCA)એ જ્યાં સુધી તપાસ થાય નહીં ત્યાં સુધી Tilbury પોર્ટ પર કથિત જહાજને રોકવામાં આવ્યા છે. પોર્ટ સ્થિત ઊભેલા જહાજોમાંથી એકનો સંદર્ભ ટાંકતા યુનિયને વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે આ બ્રિટનના Tilbury પોર્ટ પર ઊભેલા જહાજ એમવી એસ્ટોરિયામાં ફસાયેલા ચાલક દળના 264 ભારતીય સભ્યોના સંદર્ભમાં છે. તારીખ 16 જૂનના રોજ લખેલા આ પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ કોરોના વાયરસની મહામારી દરમિયાન અમારા ભારતીય નાગરિક ગત 90 દિવસથી વિદેશી જળ સીમામાં ફસાયેલા છે અને તેઓને મદદની જરૂર છે. ઘણાં લોકોએ આ જહાજો પર ભૂખ હડતાળ શરૂ કરી છે. MCAના જણાવ્યા મુજબ જ્યાં સુધી તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી આ જહાજ પોર્ટમાંથી જઈ શકશે નહીં.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.