ચીન ના સૈનિકો દ્વારા ભારતીય જવાનો ઉપર અચાનક હુમલો કરવાની ઘટના અને તેમાં 20 જવાનો શહીદ થઈ જતા ભારતીય સૈન્ય ને આરપાર ની લડાઈ લડવા છૂટ આપી દેવાતાં હાલ લેહમાં ભારતના મિગ-29 અને અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે જેની સામે ચીને પણ લદ્દાખને અડીને આવેલી પોતાના બે એરબેઝ હોટાન, ન્ગયારી, શિગાત્સે સિક્કિમની પાસે અને નયિંગચી અરૂણાચલ પ્રદેશની નજીક પોતાના ફાઇટર જેટ, બોમ્બવર્ષક વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે. અને ચીનની સેના એ પેંગોં સો જીલ પર ફિંગર 4ની આગળ ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતાં રોકવા માટે પોતાની આક્રમકતા વધારતા તંગદિલી ઉભી થઇ છે.
ધ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ચીને ભારત બોર્ડર ઉપર આવેલા એરબેઝ હોટાન, નગ્યારી, શિગાત્સે અને નયિંગચીમાં વધુ ફાઇટર જેટ, બોમ્બર અને લડાકુ હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે. પીએલએ અરૂણાચલ પર સરહદ પર પણ પોતાની ગતિવિધિને તેજ કરી દીધી છે. પેંગોંગ સો જીલ પર જ્યાં ચીનની સેના એલએસીને બદલવા માંગે છે, ત્યાં ચીની સેના એ ગોગરા હોટ સ્પ્રિંગમાં પણ મોટાપાયા પર સૈનિકો અને હથિયાર તૈનાત કર્યા છે.
ચીન ના આ પગલા થી ભારતના દેપસાંગ, મુર્ગો,ગલવાન, હોટ સ્પ્રિંગ, કોયૂલ, ફૂકચે અને દેમચોક વિસ્તારમાં ખતરો વધી ગયો છે.
બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીન સામે ભારતે પણ નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારોમાં ફાઇટર જેટ, લડાકુ વિમાન, અને ટેન્ક તૈનાત કર્યા છે અને ગમેત્યારે હુમલા નો જવાબ આપવા સક્ષમ છે.
