અમદાવાદ શહેરમાં કોરોના નીં સ્થિતિ વિકટ છે ત્યારે જાહેર માં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ છે પરંતુ પાન, બીડી, ગુટખા વેંચતા થૂંક કેન્દ્રો ઉપર ઉભા રહેતા બંધાણીઓ મોઢા માં ગુટખા,માવા ભરાવી જયાં હોય ત્યાં થૂંક ની પિચકારીઓ મારતા હોવાથી કોરોના વકરવાના ભયે આવા નિયમો નહિ પાળતા ગલ્લાઓ સામે મ્યુનિ. તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પણ અભિયાન સામે પહેલા દિવસથી જ રાજકીય દબાણ આવતા મંગળવારે પાનના ગલ્લા સીલની ઝુંબેશને જ બંધ કરી દેવામાં આવી હતી. મ્યુનિ. માત્ર હવે માસ્ક નહીં પહેરનારા લોકો સામે જ દંડની કાર્યવાહી કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે તંત્ર દ્વારા ઝુંબેશના પહેલા દિવસે 376 જેટલા પાનના ગલ્લા સીલ કરી દેવાયા હતા અને સતત બીજા દિવસે 130 જેટલા પાનના ગલ્લા સીલ કરવા સાથે બેજ દિવસમાં શહેરમાં 506 જેટલા મોટા ગલ્લા સીલ કરી દેવામાં આવતાં આકરી કાર્યવાહી રાજકારણીઓ ને ખટકી હતી અને કોરોના જાય તેલ પીવા તેમ તંત્ર ની કામગીરીમાં અવરોધ ઉભો કરી ગલ્લા સામે એક્શન નહિ લેવા દબાણ આવતા તંત્ર એ કામગીરી આટોપી લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અહીં લગભગ તમામ વોર્ડ માં ગંદકી ફેલાવતા ગલ્લાઓ ઉપર મુખ્ય કાર્યકરોની બેઠક આવા કોઈ પાનના ગલ્લે હોય જ છે અથવા તો ગલ્લાના માલિકો સાથે તેમને સંબંધો હોય છે. આ સ્થિતિમાં શહેરમાં તમામ વિસ્તારમાંથી રાજકીય અગ્રણીઓ પર ભારે દબાણ ઊભું થયુંં હતું. ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના પણ કેટલાક અગ્રણીઓ દ્વારા પાનના ગલ્લા સામેના અભિયાનમાં રાજકીય રીતે દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આ દબાણને પગલે જ મંગળવાર સવારથી જ મ્યુનિ. ટીમ દ્વારા પાનના ગલ્લાઓ સામે થતી કાર્યવાહીને બંધ કરી દેવામાં આવી હતી.
મ્યુનિ.ના વિપક્ષ દ્વારા પણગંદકી ફેલાવતા આવા ગલ્લાઓ બંધ કરવાની કામગીરીનો વિરોધ જણાવ્યું કે, પાનના ગલ્લાના માલિકો 4 મહિનાથી લૉકડાઉનમાં ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે 10 હજાર જેવો આકરો દંડ નક્કી કરી ધડાધડ સીલ મારનાર મ્યુનિ. તંત્ર દ્વારા જો 24 કલાકમાં સીલ નહીં ખોલે તો કોંગ્રેસ મ્યુનિ. કચેરીએ ગલ્લાવાળાઓ સાથે ધરણાં પર બેસશે.આમ હવે કડક અભિયાન માં રાજકારણ વચ્ચે આવતા અભિયાન નું અચ્યુતમ થઈ ગયું છે અને જાહેર માં થૂંકવા માટે નો માર્ગ મોકળો થતા જાહેર માં બીડી ના ધૂમાડા અને જાહેર માં થુંકવાની આદત ધરાવતા લોકો માં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.
