છેલ્લા કેટલાક સમય થી ચાલી રહેલા શિક્ષકો ના મહાપ્રશ્ન નો આખરે નિકાલ આવ્યો છે અને પ્રાથમિક શિક્ષકોનોગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગિત કરી દેવાનો નિર્ણય કરાયો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવતા રાજ્યના લગભગ 65 હજારથી વધારે શિક્ષકોને લાભ થશે. આમ હવે શિક્ષકોનો 4200નો ગ્રેડ પે યથાવત રહેશે.આ પહેલા ગુજરાતના 65 હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ-પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠક થઈ હતી પણ કોઇ ઉકેલ આવી શક્યો નહોતો.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, આ પત્રના અનુસંધાને શિક્ષક સંઘો અને શિક્ષક આલમમાં જે અસંતોષની લાગણી હતી તેહવે મુખ્યમંત્રીના આ નિર્ણયથી સંપૂર્ણપણે દૂર થઇ છે. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષણિકમહાસંઘના પદાધિકારીઓ સાથેની સફળ બેઠક બાદ શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ પત્રના સંદર્ભમાં શિક્ષક સંઘો દ્વારા થયેલી વિવિધ રજૂઆતોબાબતે છેલ્લા 15 દિવસમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણ મંત્રી કક્ષાએ તેમજ અંતિમ નિર્ણય માટે મુખ્યમંત્રી કક્ષાએ પરામર્શ-ચર્ચાઓ કરવામાં આવીહતી. મુખ્યમંત્રીએ તદઅનુસાર શિક્ષક સમૂદાયના વ્યાપક હિતમાં નિર્ણય લઇને 25 જૂન 2019નો શિક્ષણ વિભાગના આ પરિપત્રનો અમલ મોકૂફ-સ્થગિત કરવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. અત્રે નોંધનીય છે કે 4200નો ગ્રેડ-પે 2800 કરતા શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા હતા
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ-2010 બાદ ભરતી થયેલા શિક્ષકોને 9 વર્ષે મળવાપાત્ર રૂપિયા 4200ના ગ્રેડ-પેમાં કોઇ જ અભ્યાસ કે શિક્ષકોના મંતવ્ય લીધા વિના જ ગ્રેડ પે રૂપિયા 2800 કરી દેવાતા રાજ્યભરના શિક્ષકો અન્યાયના મામલે છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યા હતા. આમ મીડિયા થકી પોતાની વાચા આપી રહેલા શિક્ષકો ની આખરે જીત થઈ હતી.
