તમિલનાડુ ના કુખ્યાત ચંદન ચોર અને 22 પોલીસ જવાનો ની આખી ટીમ ને ઉડાવી દહેશત ફેલાવનાર હિસ્ટ્રીશીટર વિરપ્પનની પુત્રી વિદ્યા રાની ને ભાજપ પક્ષની મોટી જવાબદારી સોંપવામાં આવતા સ્થાનિક રાજકારણ માં ભુકંપ આવ્યો છે ,આપને જણાવી દઈએ કે ચંદનચોર વિરપ્પનની પુત્રીને ભાજપે તામિલનાડુ યુવા મોરચાની ઉપાધ્યક્ષ નું પદ સોંપી સન્માન કરાયું છે અને હવે તે તમિલનાડુ માં ભાજપ નું નેતૃત્વ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તામિલાનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપે અહીંયા કાર્યકારી સમિતિમાં મોટા ફેરફાર કર્યા છે.ભાજપે વિરપ્પનની પુત્રી વિદ્યા રાનીને ભાજપના યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી છે. વિદ્યા ચાલુ વર્ષે જ ભાજપમાં જોડાઈ ગઈ છે અને ભાજપ થી રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી દીધી છે ખુબજ ઓછા સમયમાં વિદ્યા ને અપાયેલા મોટા પદના પગલે દેશભરમાં સૌનુ ધ્યાન ખેંચાયુ છે.હાલ માં તામિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકેનુ વર્ચસ્વ છે ત્યારે હવે આ વિસ્તારના કુખ્યાત વિરપ્પન ની પુત્રી મેદાન માં ઉતરતા રાજકારણ ગરમાઈ ગયું છે.આ બાબતે સ્થાનિક પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન વિદ્યાનુ કહેવુ છે કે, હું પીએમ મોદીને પસંદ કરુ છું અને એ જ મારુ ભાજપમાં જોડાવા પાછળનુ કારણ છે. તેઓ હંમેશા એક્ટિવ રહેતા હોય છે. મારા માટે સન્માનની વાત છે કે, ભાજપે સામેથી મને પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી હતી. વિદ્યાએ બીએ અને એલએલબી કર્યુ છે. વિદ્યાનુ કહેવુ છે કે, સમાજ સેવામાં મને પહેલેથી જ રસ રહ્યો છે.
અહીં એ નોંધનીય રહેશે કે આ વિસ્તારમાં વિરપ્પન નું જબરદસ્ત વર્ચસ્વ હતું અને ધાક પણ હતી તે 1987માં દેશમાં તમામ અખબાર ની હેડલાઈન માં ચમકતો રહેતો હતો.તે વખતે તેણે એક ફોરેસ્ટ ઓફિસરનુ અપહરણ કર્યુ હતુ .એક પોલીસ ટીમને ઉડાવી દીધી હતી અને તેમાં 22ના મોત થયા હતા. કન્નડ ફિલમોના સુપર સ્ટાર રાજકુમારનુ પણ તેણે અપહરણ કર્યુ હતુ. 2004માં થયેલા એન્કાઉન્ટરમાં વિરપ્પન નું મોત થઈ ગયું હતું.
આમ,વિરપ્પન ની ધાક અહીં કાયમ હતી અને હવે વિરપ્પન ની પુત્રી વિધ્યા ના ભાજપ પ્રવેશ થી રાજકારણ માં સક્રિય થતા અહીં રાજકારણ ગરમાયુ છે અને અન્ય પક્ષોના પ્રતિનિધિઓ માં થોડો ફફડાટ પણ ફેલાયો છે.
