કોરોના ની મહામારી એ લોકો ની જીવન શૈલી બદલી નાખી છે અને કોરોના થી બચવા માટે જરૂરી નિયમો પાળવા પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે દેશમાં પહેલીવાર અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના એન્ટ્રી ગેટ ખાતે ખાનગી કંપનીએ બેગેજ સેનિટાઈઝેશન એન્ડ રેપિંગ મશીન લગાવ્યું છે. પેસેન્જરો લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરવાની સાથે તેઓ પોતાના લગેજને પોલિથિનનું પેકિંગ કરાવી શકશે. આ માટે રૂ.80 સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. હવે રેલવે ઉપર પણ આ સુવિધા શરૂ થઈ છે અને ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે. આમ કોરોના ની હાડમારી ને લઈ લોકોની સલામતી માટે આ સુવિધા શરૂ થઈ છે.
