આગામી 5 ઓગષ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજનની વિધિ કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા માટે અયોધ્યા પહોંચશે. જો કે તેના પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી યોગી આજે અયોધ્યામાં તૈયારીઓનો તકાજો લેવાના છે.
મુખ્યમંત્રી યોગી આજે બપોરે 2 કલાકે અયોધ્યા પહોંચવાના છે અને તેઓ ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાશે. ત્યાર બાદ સાંજે 5 કલાકે યોગી આદિત્યનાથ લખનૌ પાછા ફરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસર પાસે માનસ ભવનમાં તમામ ટોચના અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરશે.