પીએમ નરેન્દ્ર મોદી આજે ગુરુવારે ઈમાનદારીપૂર્વક ટેક્સ ચુકવનારા કરદાતાઓ માટે ‘પારદર્શી કરાધાન-ઈમાનદાર કા સમ્માન’ નામની એક યોજના શરૂ કરશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થનારા આ આયોજનમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ અને રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ પણ હાજર રહેશે.
બુધવારે જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન 13 ઓગસ્ટના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘પારદર્શી કરાધાન-ઈમાનદાર કા સમ્માન’ મંચની શરૂઆત કરશે. જો કે નિવેદનમાં સુધારા વિશે કંઈ કહેવાયું નથી પરંતુ મંચની શરૂઆત સાથે છેલ્લા 6 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સના મોર્ચે જે સુધારો કરવામાં આવ્યો છે તેને આગળ લઈ જવાની આશા છે.
સુધારામાં છેલ્લા વર્ષ કંપની ટેક્સની દરને 30%થી ઘટાડીને ટેક્સ 22% કરવા અને નવી વિનિર્માણ યુનિટ માટે 15% કરવા અને લાભાંશ વિતરણ ટેક્સ હટાવવા, અધિકારી અને કરદાતાઓનો આમનો સામનો થયા વિના આકારણી શરૂ છે.