CSK vs PBKS: ચેપોકના મેદાનમાં ચેન્નાઈ અને પંજાબ વચ્ચે જંગ, જાણો આજે કોણ મારી શકે છે બાજી?

2 Min Read

CSK vs PBKS: આજે ચેપોકમાં હાઈવોલ્ટેજ જંગ, કોણ મારશે બાજી? જાણો હેડ-ટુ-હેડ આંકડા

આઈપીએલની આ સીઝનની સાતમી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો માટે આ મુકાબલો ખૂબ જ મહત્વનો છે, કારણ કે એક તરફ પંજાબ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે, તો બીજી તરફ ચેન્નાઈ વાપસી કરવા માટે મેદાનમાં ઉતરશે.

csk.jpg

- Advertisement -

પંજાબનો પલડો ભારે, ચેન્નાઈ માટે કપરા ચઢાણ

જો ગૂગલ સ્પોર્ટ્સ ડેટા અને તાજેતરના ફોર્મની વાત કરીએ તો, આજે પંજાબ કિંગ્સની જીતની શક્યતા 54% છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની સંભાવના 46% દેખાઈ રહી છે. ભલે મેચ ચેન્નાઈના ગઢમાં હોય, પરંતુ આંકડા પંજાબની તરફેણમાં ઝૂકેલા છે.

બંને ટીમો વચ્ચેનો અત્યાર સુધીનો રેકોર્ડ:

- Advertisement -

કુલ મેચ: બંને ટીમોએ અત્યાર સુધી એકબીજા સામે 16-16 મેચ જીતી છે, જે બતાવે છે કે ટક્કર હંમેશા બરાબરીની રહી છે.

છેલ્લી 7 મેચનો ટ્રેન્ડ: અહીં પંજાબ કિંગ્સનો દબદબો સ્પષ્ટ દેખાય છે. છેલ્લી 7 મેચોમાંથી પંજાબે 6 મેચ જીતી છે, જ્યારે CSK માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી છે.

MS ધોની અને બ્રેવિસની ગેરહાજરી CSK ને નડશે?

ચેન્નાઈની ટીમ માટે ચિંતાનો વિષય એ છે કે દિગ્ગજ ખેલાડી એમએસ ધોની હજુ પણ સંપૂર્ણ ફિટ નથી અને તે આજની મેચ ગુમાવી શકે છે. આ ઉપરાંત, આક્રમક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ પણ ટીમ સાથે નથી, જેના કારણે મધ્યમ ક્રમ થોડો નબળો જણાય છે. ચેન્નાઈની ટીમ અગાઉ રાજસ્થાન સામે હારીને આવી રહી છે, તેથી તેમનું મનોબળ વધારવું કેપ્ટન રુતુરાજ ગાયકવાડ માટે મોટો પડકાર રહેશે.

- Advertisement -

csk1.jpg

આ ખેલાડીઓ પર રહેશે સૌની નજર

આજની મેચમાં હાર-જીતનો મોટો આધાર મુખ્ય બેટ્સમેનો પર રહેશે:

રુતુરાજ ગાયકવાડ: CSK ના કેપ્ટન તરીકે તેણે મોરચો સંભાળવો પડશે.

સંજુ સેમસન: ચેન્નાઈની જીત માટે સંજુની મોટી ઈનિંગ ખૂબ જ મહત્વની સાબિત થશે.

શ્રેયસ અય્યર: પંજાબ કિંગ્સની કમાન સંભાળતા શ્રેયસ અય્યર પોતાની ટીમને સતત બીજી જીત અપાવવા ઉત્સુક હશે.

TAGGED:
Share This Article