વોડાફોન અને આઇડિયા સંયુક્ત રીતે મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. વોડાફોન અને આઇડિયાએ ટ્વીટર દ્વારા આ અંગેના સંકેતો આપ્યા હતા. વોડાફોને ટ્વિટ કરીને કહ્યું હતું કે આવતી કાલે એક મોટી જાહેરાત માટે તૈયાર રહો, સોમવારનો દિવસ અતી મહત્વનો સાબિત થશે. જ્યારે આ ટ્વિટને આઇડિયા દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું. સાથે જ કંપનીએ મીડિયાને સોમવારે સવારે 11.45 કલાકે આ મામલે જે જાહેરાત થાય તેને કવર કરવા માટે આમંત્રીત કર્યું છે.
સોમવારે સવારે વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા વોડાફોન અને આઇડિયા રણનીતિક જાહેરાતો કરશે. હાલ આ બન્ને કંપનીઓ અન્ય ટેલિકોમ ઓપરેટરોની સામે મોટા પડકારોનો સામનો કરી રહી છે. ગત પહેલી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એજીઆર પેમેંટ માટે સમય આપવામાં આવી શકે છે.
કંપનીએ વિનંતી કરી હતી કે તેને એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ની ચુકવણી માટે 15 વર્ષનો સમય આપવામાં આવે. હાલમાં જ કંપનીને 25.46 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, આ નુકસાન આઇડિયા અને વોડાફોન બન્નેનું સંયુક્ત છે.
બીજી તરફ કંપની બોર્ડે 25 હજાર કરોડ ફંડરેઇઝિંગને મંજૂરી આપી દીધી હતી, આ સિૃથતિ વચ્ચે હવે વોડાફોન અને આઇડિયા મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. સોમવારે જે જાહેરાત કરવામાં આવે તેની શેરબજાર પર પણ મોટી અસર થઇ શકે છે તેવો નિષ્ણાંતોનો દાવો છે.