રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ ગુજરાતના વિવિધ રાજનેતાઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના પૂર્વ મેયર અને શહેરના નારાણપુરા વોર્ડના કાઉન્સિલર ગૌતમ શાહનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટીવ આવત શહેરની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમના સમર્થકોમાં અને પરિજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
