ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસનો આંકડો એકંદરે 1200ની નીચે અને સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા પણ એકંદરે સ્થિર રહી છે. ગુજરાતરાજ્યમાં આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1181 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,57,474 લાખ થઇ ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1279 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,39,149 લાખથી વધારે છે.
ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 3, સુરતમાં 3, ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં 1-1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3620 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી 1867 અને સુરતમાં 821 લોકોના મોત થયા છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા 14,705 છે, જેમાંથી હાલમાં 92 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,657 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 52,69,542 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,51,411 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,51,136 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 275 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.