હાલ પાકિસ્તાન માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને નવાઝ શરીફે કહ્યું કે કારગિલ યુદ્ધ નો નિર્ણય ખોટો હતો ,પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ 11 પક્ષના વિપક્ષી ગઠબંધન પીડીએમની બલુચિસ્તાનના ક્વેટામાં યોજાયેલી રેલી માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે વિડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતાં જણાવ્યું કે કારગિલ યુદ્ધ માં પાકિસ્તાની સેના પાસે પૂરતુ ખાવાનું કે હથિયારો પણ નહોતાં તે સમયે કેટલાક જનરલો ને યુદ્ધ નું ચાનક ચડ્યું હતું અને પાકિસ્તાન ના નિર્દોષ જવાનો ને શહીદ કરવા છોડી દીધા હતા.
નવાઝે કહ્યું હતું કે કારગિલ યુદ્ધમાં સૈનિકો પાસે પૂરતાં હથિયારો નહોતાં, પણ અમુક જનરલોએ જવાનોને યુદ્ધ મેદાને ઉતારી દીધા. કારગિલ યુદ્ધ દરમિયાન નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન હતા. શરીફે તત્કાલીન સૈન્ય પ્રમુખ પરવેઝ મુશર્રફ ઉપર તેઓ એ આડકતરી રીતે આ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કારગિલ માં સેંકડો પાકિસ્તાની જવાનોને શહીદ કરાવવા અને પાકિસ્તાનને દુનિયામાં શરમમાં મૂકવાનો નિર્ણય સૈન્યનો નહોતો, પણ અમુક જનરલોનો હતો, જેમણે સૈન્યને જ નહીં, દેશની કોમને એવા યુદ્ધમાં ભરાવ્યું હતું, જેમાં કોઈને ફાયદો ન થયો.
નવાઝ શરીફે વર્તમાન સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પર જનાદેશ ચોરી કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું હતું કે તેમણે ઈમરાન ખાનને પ્રજાના મેન્ડેટ વિરુદ્ધ જઈને વડાપ્રધાન બનાવ્યા છે. આમ આ પ્રકાર ના નિવેદન ને લઈ ભારે સનસનાટી મચી છે.
