લંડનઃ એક નવા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, આપણા દ્વારા ઉધરસ અથવા છિંક બાદ હવાના સંપર્કમાં આવેલ એરોસોલ માઇક્રોડ્રોપલેટ્સ (હવામાં ભળેલા અતિસુક્ષ્મ કણો) કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવા માટે વધારે જવાબદાર હોતા નથી. જર્નલ ફિઝિક્સ ઓફ ફ્લ્યૂડમાં પ્રકાશિત આ રિસર્ચ રિપોર્ટ મુજબ બંધ સ્થળોએ સોર્સ-સીઓબી-2ના એરોસોલનું પ્રસરણ વધારે અસરકારક હોતુ નથી.
સંશોધનકર્તાઓએ એક નિવેદનમાં જણાવ્યુ કે, જો કોઇ વ્યક્તિ આવા સ્થળોએ જાય છે જ્યાં થોડાંક જ ક્ષણો પહેલા કોઇ એવી વ્યક્તિ હહતી જેનામાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના સાધારણ લક્ષણો હતો તે વ્યક્તિ કોરોનાની ઝપટમાં આવવાની શક્યતા ઓછી હોય છે. તેમણે કહ્યુ કે, આ આશંકા એવા સમયે ઘણી ઓછી થઇ જાય છે જ્યારે તે વ્યક્તિ માત્ર વાતચિત કરી રહી હોય.
રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સાર્સ-સીઓવી-2નુ પ્રસરણ અંગેના અમારા રિસર્ચમાં જોવા મળ્યુ કે, એરોસોલનું પ્રસરણ સંભવ છે, પરંતુ તે વધારે અસરકારક હોતુ નથી, ખાસ કરીને લક્ષણ વગરના અથવા ઓછા લક્ષણ વાળા સંક્રમણના કેસોમાં. એમ્સ્ટર્ડ્સ યુનિવર્સિટીમાં રિસર્ચના સહ-લેખક ડેનિયલ બોનનું કહેવુ છે કે, અતિસુક્ષ્મ કણો હોવાના કારણે તેમાં વાયરસની સંખ્યા ઓછી હોય છે. આથી તેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછુ છે.