ઇસરો દ્વારા આજે પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-01 શ્રીહરિકોટાના સતીશધવન સ્પેશ સેન્ટરથી
બપોરે 3.02 કલાકે PSLV-C49થી લોન્ચિંગ થનાર છે સાથેજ 9 આંતરરાષ્ટ્રિય કસ્ટમ સેટેલાઈટ પણ લોન્ચ થશે
અગાઉ લોન્ચ પેડથી રોકેટ લોન્ચ માટે 26 કલાકની ગણતરી શરૂ કરાઈ હતી. શ્રીહરિકોટા રોકેટ પોર્ટથી આજે 7 નવેમ્બરે આજે શનિવારે બપોરે 3 વાગે 10 ઉપગ્રહના રોકેટને પ્રક્ષેપિત કરાશે. શનિવારે સાંજે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ PSLV-C49ની ઉડાનની સાથે જ ભારતીય અંતરિક્ષ એજન્સી અત્યાર સુધીમાં કુલ 328 વિદેશી ઉપગ્રહને સશુલ્ક અંતરિક્ષમાં સ્થાપિત કરી લેશે
ઈસરો આ વર્ષે આ પહેલું સેટેલાઈટ આજે લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવાની જવાબદારી લેશે. આ ક્રમમાં ઈસરોના સેટેલાઈટ ઈઓએસને PSLV-C49 રોકેટથી લોન્ચ કરાશે. ખાસ વાત એ છે કે સી -49 ફક્ત ભારતીય નહીં પણ 9 વિદેશી સેટેલાઈટ સાથે પણ ઉડાન ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રક્ષેપિત કરાયેલા 9 વિદેશી ઉપગ્રહમાં લિથુઆનિા, લ્કસમર્ગ અને યૂએસ શામેલ છે. આ પ્રસ્તાવિત પ્રક્ષેપણ આ વર્ષે ભારચીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના માટેનું પહેલું અંતરિક્ષ મિશન હશે આમ આજનો દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે.
