સમગ્ર દેશ સહિત ગુજરાત માં વકરેલા કોરોના વાઈરસ નો સૌથી વધુ પ્રભાવ અમદાવાદ માં જોવા મળી રહ્યો છે અને હવે તો જનતા ની સેવા માં જોડાયેલા વોરીયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા ના કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમસી સહિત 4 અધિકારી તો એવા છે કે તેઓ અગાઉ 5થી 6 મહિના પહેલા કોરોનાગ્રસ્ત થયા બાદ ફરીથી કોરોના ની ચપેટ માં આવી ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ સહિત કેટલાક કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાત સામે આવી છે.
જેમાં હેરિટેજ વિભાગ સાથે સંકળાયેલા ડે. જનરલ મેનેજર પી.કે. વાસુદેવન નાયરનું કોરોનાને કારણે નિધન પણ થઇ ગયું છે. અમદાવાદ મ્યુનિ.ના કેટલાક વિભાગને તો દિવાળી પહેલાં જ કોરોનાને કારણે માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવા પડે તેવી સ્થિતિ હતી. કોરોના ને લઈ ઓડિટ વિભાગ, પ્લાનિંગ વિભાગ, પાણી પુરવઠા વિભાગ સહિત અનેક વિભાગો બંધ છે, મ્યુનિ. કચેરીના છઠ્ઠામાળે લગભગ તમામ વિભાગો બંધ થઇ ગયા છે અથવા તો જે અધિકારીઓને કોરોના વાઈરસનો ચેપ નથી લાગ્યો તેમને બીજી જગ્યા એ બેસાડવામાં આવ્યા છે.
મ્યુનિ.માં એક ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના એક અધિકારી, વિજિલન્સ વિભાગના એક અધિકારી સહિત 4થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ ફરીથી કોરોના સંક્રમિત થાય છે. મોટાભાગના અધિકારી – કર્મચારીઓ હોમ આઇસોલેસનમાં છે. આ ઉપરાંત હેલ્થ વિભાગના પણ કેટલાક અધિકારીઓ કોરોના ઝપટમાં આવી ગયા છે.
દિવાળી ના તહેવારો પુરા થતાંજ કોરોનાનો વ્યાપ વધતાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ સહિત લગભગ 60ને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર છે આમ કોરોના સરકારી વિભાગો માં પણ ફરી વળતા તમામ સ્થળે જેતે વિભાગો બંધ કરી અન્યત્ર કામ ચાલુ કરવું પડી રહ્યું છે.
