નવી દિલ્હીઃ સરકારી ઓફિસમાં કામ કઢાવવા માટે લાંચ આપવાના મામલે ભારતીય લોકો એશિયામાં સૌથી મોખરે છે. ભારતમાં લોકોનો સરકારી કામ કઢાવવા માટે કોઇને કોઇ રીતે લાંચ આપવી પડે છે. આ માહિતી ભ્રષ્ટાચાર અંગેં કામગીરી કરનાર ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે જારી કરેલ રિપોર્ટમાં બહાર આવી છે.
આ રિપોર્ટ મુજબ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં લાંચરુશ્વતના મામલે ભારત ટોચ ઉપર છે,જ્યારે જાપાન સૌથી ઔછો ભ્રષ્ટ દેશ છે.આ રિપોર્ટ મુજબ એશિયાના અન્ય દેશોમાં કંબોડિયા બીજા અને ઇન્ડોનેશિયા ત્રીજા ક્રમે છે. આ રિપોર્ટમ જબ એશિયામાં દર પાંચમાંથી એક વ્યક્તિએ પોતાનું કામ કઢાવવા માટે લાંચ આપી છે. અલબત્ત સર્વેમાં શામેલ 62 ટકા લોકોનું માનવુ છે કે, ભવિષ્યમાં સ્થિતિ સુધરી શકે છે.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલા આ સર્વેમાં શામેલ લોકોમાંથી 47 ટકા ભારતીયોનું કહેવુ છે કે, પાછલા 12 મહિનામાં ભ્રષ્ટચાર વધ્યો છે. આ સર્વેમાં ભાગ લેનાર 63 ટકા લોકોનું માનવુ છે કે, સરકાર ભ્રષ્ટાચાર રોકવા માટે યોગ્યા પગલાઓ લઇ રહી છે.
આ સર્વેમા શામેલ લગભગ 39 ટકા ભારતીયોનું માનવુ છે કે, તેમણે પોતાનું કામ કઢાવવા માટે લાંચનો સહારો લીધો છે. કંબોડિયામાં લાંચ આપવાનું પ્રમાણ 37 ટકા અને ઇન્ડોનેશિયામાં 30 ટકા છે. વર્ષ 2019માં ભ્રષ્ટાચારના મામલે ભારત દુનિયાના 198 દેશોમા 80માં સ્થાને હતો. સંસ્થાએ તેને 100માંથી 41 નંબર આપ્યા હતા. લાંચના મામલે ચીન 80, મ્યાનમાર 130, પાકિસ્તાન 120, નેપાળ, 113, ભૂટાન 25, બાંગ્લાદેશ 146 અને શ્રીલંકા 93માં સ્થાને છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ભારત લાંચના મામલે એશિયામાં સૌથી ટોચ ઉપર રહ્યુ છે. તેની સાથે જ સર્વેમાં શામેલ 46 લોકોનું કહેવુ છે કે, તેમણે જાહેર સેવાઓનો ઉપયોગ કરવા માટે વ્યક્તિગત ઓળખનો ઉપયોગ કર્યો છે. આ સર્વેમાં શામેલ 50 ટકા લોકો પાસ તેમનુ કામ કઢાવવા માટે લાંચ માંગવામાં આવી, જ્યારે 32 લોકોનું કહેવુ છે કે, તેમણે વ્યક્તિગત સંબંધોના આધારે સેવા ઉપલબ્ધ કરાવી શકાય છે, અન્યથા નહીં.