કોરોના માં સાવચેતી ન રાખો તો જીવલેણ બની શકે છે અને હજુસુધી પરફેક્ટ રસી પણ બજાર માં આવી નથી એટલેજ સરકારે કોરોનાની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં માસ્ક નહીં પહેરનાર સામે દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પણ ઘણા લોકો જાહેર માં એવું કહેતા નજરે પડી રહ્યા છે કે આતો બધું ઠીક કોરોના જેવું કંઈ છે જ નહી તેમ કહી પોતે તો માસ્ક પહેરતા નથી અને બીજા ને પણ આવી સલાહ આપતા હોય છે આવું ગામડાઓ માં વધુ જોવા મળી રહ્યું છે ત્યારે માસ્ક વગર રખડતા લોકો ના ટેસ્ટ માં આવા લોકો કોરોના પોઝીટિવ જણાતાં તંત્ર ચોકી ઉઠ્યું છે.
અમદાવાદમાં 20 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં તમામ સાત ઝોનમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં માસ્ક વિના બહાર ફરતાં 958 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.આ 958 લોકોમાંથી 47 લોકો પોઝિટિવ આવ્યાં હતાં. જેમાં 6 નાગરીકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં અને 41 લોકોને સમરસ હોસ્ટેલમાં સારવાર હેઠળ દાખલ કરાયાં હતાં.
પોલીસે કડક અભિયાન ચલાવી એક જ દિવસમાં માસ્ક વગર ફરી રહેલા 1064 લોકો પાસેથી કુલ રૂ.10.64 લાખનો દંડ વસૂલ કર્યો હતો. આમ અત્યારસુધી માં માત્ર અમદાવાદમાં જ કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી લઈ હમણાં સુધી પોલીસે માસ્ક વગર ફરી રહેલા 2.69 લાખ લોકો પાસેથી રૂ.13.96 કરોડ દંડ વસૂલ કર્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કામ વગર ફરવા નીકળેલા 82 માણસોની પોલીસે ધરપકડ કરી કર્ફ્યૂ ભંગના 78 કેસ કર્યા હતા કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે માસ્ક એકજ બચવાનો માર્ગ છે તેવે સમયે કોરોના ના સંક્રમણ થી બચવા માટે માસ્ક પહેરવા રીકવેસ્ટ કરવામાં આવી રહી છે.
